આનંદભાઈ વસાવા - નર્મદા
સાગબારા તા.30 મી જુલાઈ 2026
અષાડી પૂનમએ દર વર્ષે ઉજવાતો ગુરુ - શિષ્ય વચ્ચેનો એકબીજા પ્રત્યે વિતાવેલી ક્ષણોનો અને શું ગુમાવ્યું? અને શું મેળવ્યું.તેના સંદર્ભના બદલામાં પૂજા અર્ચનાનો ત્યોહાર છે.
તે અન્વયે મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના નવા નાગરમુઠા ગામે સંત વિજેસીંગ મહારાજ અત્યારે હયાત નથી. છતાં તેમના શિષ્ય આજે પણ ગુરુ માની દર વર્ષે વિજેસીંગ મહારાજની બિરાજમાન મૂર્તિના આંગળામા સેંકડોની સંખ્યામાં ઉપસ્થિત થઈ ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવે છે. કેમકે વિજેસીંગ મહારાજે તેમની અતિ ગરીબાઈ છતાં 21 વર્ષની ઉંમરેથી ભક્તિમાર્ગ ભાથીજી સંપ્રદાય સ્વીકારી એકધારી ભક્તિ શું છે? તેનું ઉદાહરણ હોય તો વિજેસીંગ મહારાજ છે. તેમણે પોતાનાશરીરના તમામ ઇન્દ્રિયો પર કાબુ મેળવ્યો હતો. અને પોતે અંધશ્રદ્ધાની વાતોને સ્થાન ન આપ્યું હતું. અને ભક્તિ શું છે.? તેનો સાચો મહિમા થકી આજે વ્યશન કરતા પરિવારો, ગરીબ અને જેમને માર્ગ જ ખબર ના હતો. તેવા અંધરમય જીવન ગુજરતા સાતપુડાના હજારો પરિવારોને ત્યાં પગપાળા ખભે સંતાનો ઉંચકી પહોંચી ભક્તિ માર્ગ ના રસ્તે વાળી, બોલતા કરી, વ્યશન મુકત કરી હજારો પરિવારોનું જીવન સુધાર્યું હતું. અને ઉગતા સૂર્યની માફક અખંડ ઉભા રહી ભક્તિ રૂપી રક્ષણ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પ્રચાલિત થયાં હતાં. તે કારણે અહીં આજે પણ તેમના શિષ્યો ભેગા થઈ સંત વિજેસીંગ મહારાજને ગુરુ તરીકે ગુરુ પૂર્ણિમા ઉજવે છે.. અને આખી રાત પ્રવચન અને ભજનોનો રમઝટ જામે છે. અને ત્રણે રાજ્યોથીશિષ્યો અને ખ્યાતિ પામેલા મહારાજ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.