Thursday, July 30, 2026
Join our
WhatsApp Channel
Home
Sankalp Partners
AB-Win Inquiry
About Us
E-Paper
Education Ambassador
Community
Advertisement
Contact Us
BREAKING NEWS
Politics
Sports
Entertainment
Business
Technology
Health
Education
Lifestyle
Opinion
Crime
World News
Science
Environment
Finance
Startups
Real Estate
Travel
Food & Dining
Fashion
Culture
Art
Music
Movies & TV
Gaming
Automotive
Jobs & Careers
Personal Finance
Parenting
Religion & Faith
Weather
Lifestyle News
Latest News
સ્થાનિક
ચાવંડી ગામે ખેડૂત નેતા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયા ની 7મી પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન
રાજકોટ જિલ્લા ના જામકંડોરણા તાલુકાના ચાવંડી ગામે ખેડૂત નેતા અને રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેન્ક ના ચેરમેન સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયા ની 7મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી મથુરભાઈ રાઘવભાઈ અકબરી તથા ચિંતનભાઈ મથુરભાઈ અકબરી દ્વારા ચાવંડી ગામની પ્રાથમિક શાળામાં બટુક ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી જ્યોતિષભાઈ ,ઉપ સરપંચ શ્રી પ્રતાપસિંહ, શાળા ના આચાર્ય શ્રી રાજેશભાઈ અજુડીયા તથા સ્ટાફ અને રાજકોટ જિલ્લા બેન્ક ના મેનેજર શૈલેષભાઈ અને સહકારી મંડળી ના પ્રમુખ શ્રી અને મંત્રી શ્રી તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા, વિઠ્ઠલભાઈ રાદડીયા ની પુણ્યતિથિ નિમિત્તે 2 મીનીટ નું મૌન ધારણ કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી...
2026-07-30
RAJKOT
ધર્મ
ગુરૂ પૂર્ણિમા મહોત્સવ
ગુરૂ પૂર્ણિમા મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી જીવ દયા અન્નક્ષેત્ર ઓખા
2026-07-30
DEVBHUMI DWARKA
સ્થાનિક
નર્મદાના સાગબારા તાલુકામાં જંગલની જમીન પર ખેડાણ મુદ્દે ફરી તણાવ, ખેડૂતો અને વન વિભાગ-પોલીસ આમને-સામને
સાગબારા, જિ. નર્મદા સાગબારા તાલુકાના જંગલ વિસ્તારમાં જમીન ખેડાણ મુદ્દો ફરી એકવાર ઉગ્ર બન્યો છે. હલગામ, પારડી, ખોપી સહિતના ગામોના આદિવાસી ખેડૂતો વર્ષોથી ખેતી કરતા હોવાનો દાવા સાથે ખેતરોમાં ખેડાણ કરવા પહોંચતા વન વિભાગ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, છેલ્લા ઘણા વર્ષોથી આ જમીનો પર ખેતી કરતા હોવાનો દાવો સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે. સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવાના આહવાન બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો પોતાના ખેતરોમાં પોતાના હળ સાથે ખેડવા પહોંચી ગયા હતા અને ખેડાણ શરૂ કર્યું હતું. આ દરમિયાન વન વિભાગની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી અને ખેડાણ અટકાવવાની કામગીરી હાથ ધરી હતી. જેને લઈને સ્થાનિક લોકો, વનકર્મીઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણ થયું હતું. બીજી તરફ આ મુદ્દે રાજકીય ગરમાવો પણ આવ્યો છે. આગેવાન લીલાબેન સહિત અનેક આગેવાનોએ આ મુદ્દો ઉઠાવ્યો છે. આગેવાન લીલાબેને નિવેદન આપતા કહ્યું હતું કે, "શું અમે પાકિસ્તાની છીએ? મારા ખેડૂતો વર્ષોથી આ જમીન ખેડે છે." તેમણે ખેડૂતોના હક્ક માટે લડતની વાત કરી છે. હાલ વન વિભાગે પોલીસની હાજરીમાં ખેડાણ અટકાવ્યું છે. હલગામ અને પારડી ગામોમાં હજુ પણ તણાવની સ્થિતિ જોવા મળી રહી છે અને વિરોધ યથાવત છે. આ મામલે હવે તંત્ર શું નિર્ણય લે છે અને ખેડૂતોના વર્ષો જૂના દાવાનું શું નિરાકરણ આવે છે તે જોવું રહ્યું. રિપોર્ટર ફિલિપ વસાવા
2026-07-30
NARMADA
તહેવાર
હાલોલ
પંચમહાલ હાલોલ અરવિંદભાઈ પરમાર હાલોલ તાલુકા ના તાજપુરા ઘામ મા ગુરુ પૂર્ણિમા ના પર્વ દીવસે તાજપુરા બ્રહ્મલીન નારાયણ બાપુ ના ગુરુ પુનમ ના પાવન દીવસે ખુબ મોટી સંખ્યા મા ભાવિક ભકતો ઉમટી પડ્યુ હતુ તેની સાથે હમાપ્રસાદ નો પણ ભાવિક ભક્તો એ લાભ લીઘો હતો
2026-07-30
PANCHMAHAL
સ્થાનિક
વિરમગામ, અને માંડલમાં અતિવૃષ્ટિ પીડિતોને સહાયરૂપ બનવા 70થી વધુ રાશન કિટોનું વિતરણ
બિમલાબા હુંરા -અમદાવાદ અને દાતાશ્રીઓના સહયોગથી માનવતાભર્યું રાહતકાર્ય અતિવૃષ્ટિના કારણે અસરગ્રસ્ત થયેલા માંડલ,વિરમગામ અને પાટડી તાલુકાના જરૂરિયાતમંદ પરિવારો માટે માનવતાભર્યું રાહતકાર્ય હાથ ધરવામાં આવ્યું છે.અમદાવાદના પૂજ્ય શ્રી બિમલાબા હુંરા તથા તેમના સહયોગી દાતાશ્રીઓના ઉદાર સહયોગથી 70થી વધુ રાશન કિટો અર્પણ કરવામાં આવી છે. હાલમાં સેવાભાવી કાર્યકરો દ્વારા આ રાશન કિટોનું વિતરણ સતત અને સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી રહ્યું છે,જેથી અતિવૃષ્ટિથી પ્રભાવિત પરિવારો સુધી તાત્કાલિક સહાય પહોંચી શકે. આ સેવાયજ્ઞમાં પે સેન્ટર આચાર્ય, કુમાર શાળા નં. 1, વિરમગામના દીપકભાઈ ઈશ્વરભાઈ પરમાર, હંસાબેન દીપકભાઈ પરમાર(આચાર્યા ધાકડી શાળા)શ્રીટાબેન સાધુ (એસ.એમ.સી. અધ્યક્ષ), કલ્પેશભાઈ પરમાર,નવીનભાઈ પંચાસરા,ધરમસિંહભાઈ પરમાર તેમજ કુમાર શાળા નં. 1ના સમગ્ર સ્ટાફ પરિવારે ઉત્સાહભેર જોડાઈને રાહતકાર્યને વધુ અસરકારક બનાવ્યું છે. સેવાકાર્ય દરમિયાન ટીમ દ્વારા જરૂરિયાતમંદ પરિવારો સુધી વ્યક્તિગત રીતે પહોંચી જીવનોપયોગી સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે, જેથી આપત્તિના સમયમાં તેમને તાત્કાલિક રાહત મળી શકે.
2026-07-30
AHMEDABAD
More News