દલપુર-હિંમતનગર ખાતે બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ‘કિસાન દિવસ’ ઉજવણી કાર્યક્રમ યોજાયોવિવિધ કૃષિલક્ષી યોજનાઓના લાભાર્થીઓને લોન મંજૂરી | Akhand Bharat Dainik
દલપુર-હિંમતનગર ખાતે બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ‘કિસાન દિવસ’ ઉજવણી કાર્યક્રમ યોજાયોવિવિધ કૃષિલક્ષી યોજનાઓના લાભાર્થીઓને લોન મંજૂરી
SABARKANTHA | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
દલપુર-હિંમતનગર ખાતે બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ‘કિસાન દિવસ’ ઉજવણી કાર્યક્રમ યોજાયોવિવિધ કૃષિલક્ષી યોજનાઓના લાભાર્થીઓને લોન મંજૂરી
હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 'કિસાન સમૃદ્ધિ મહોત્સવ' અંતર્ગત મદલપુર-હિંમતનગર સ્થિત વિન્તાના હોટેલ ખાતે 'કિસાન દિવસ' ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બેન્ક ઓફ ઇન્ડિયાના કાર્યપાલક નિદેશક (Executive Director) શ્રી પ્રમોદકુમાર દ્વિવેદીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
પ્રસંગે શ્રી પ્રમોદકુમાર દ્વિવેદીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના 'વિકસિત ભારત'ના વિઝનને સાકાર કરવામાં દેશના અન્નદાતા ખેડૂતોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કૃષિ અને ગ્રામીણ અર્થતંત્રને વધુ મજબૂત બનાવવું જરૂરી છે. બેન્ક ઓફ ઇન્ડિયા ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ રહી ટેકનોલોજી આધારિત કૃષિ ધિરાણ, આધુનિક બેન્કિંગ સેવાઓ અને વિવિધ નાણાકીય સુવિધાઓ દ્વારા ખેડૂતોને સતત સહયોગ આપી રહી છે.
કાર્યક્રમ દરમિયાન બેન્કના અધિકારીઓએ ખેડૂતોને બેન્કની વિવિધ ખેડૂતલક્ષી અને કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. સાથે જ વિવિધ યોજનાઓ હેઠળ પસંદગી પામેલા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લોન મંજૂરી પત્રો તેમજ અન્ય સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ગુજરાતના ફીલ્ડ જનરલ મેનેજર શ્રી અજયકુમાર ત્રિપાઠી, ગાંધીનગર ઝોનના ઝોનલ મેનેજર શ્રીમતી દીપ્તિ અગ્રવાલ, ગુજરાતના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી શ્રીજીત શંકર બહેરા, ગાંધીનગર ઝોનના ડેપ્યુટી ઝોનલ મેનેજર શ્રી જુગલ કિશોર, ગુજરાત ઓફિસના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ડૉ. ભંવરલાલ હર્ષ, સાબરકાંઠા જિલ્લાના બેન્કના અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.