બાવળા પાલિકા દ્વારા લારીઓ છોડાવવા રૂ. 5,000 દંડ સામે લારીચાલકોનો વિરોધ, રાહતની માંગ સાથે આવેદનપત્ર | Akhand Bharat Dainik
બાવળા પાલિકા દ્વારા લારીઓ છોડાવવા રૂ. 5,000 દંડ સામે લારીચાલકોનો વિરોધ, રાહતની માંગ સાથે આવેદનપત્ર
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
બાવળા પાલિકા દ્વારા લારીઓ છોડાવવા રૂ. 5,000 દંડ સામે લારીચાલકોનો વિરોધ, રાહતની માંગ સાથે આવેદનપત્ર
બાવળા શહેરમાં રોજિંદી મહેનત કરીને જીવનનિર્વાહ કરતા લારી, ગલ્લા, વજન કાંટા તથા હાથલારી ચલાવતા નાના વેપારીઓએ બાવળા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી લારીઓ છોડાવવા માટે વસૂલવામાં આવતા રૂ. 5,000ના દંડમાં રાહત આપવા માંગ કરી છે.
આવેદનમાં જણાવાયું છે કે મોટાભાગના લારીચાલકો ગરીબ અને શ્રમિક વર્ગના છે. તેમના માટે રૂ. 5,000ની રકમ ભરવી અત્યંત મુશ્કેલ હોવાથી પરિવારના ભરણપોષણ પર સીધી અસર પડી રહી છે. વેપારીઓએ જણાવ્યું કે તેઓ નિયમોનું પાલન કરવા તૈયાર છે, પરંતુ દંડની રકમ તેમની આર્થિક સ્થિતિને અનુરૂપ ઓછી કરવામાં આવે અને જપ્ત કરાયેલી લારીઓ તથા સામાન પરત આપવામાં આવે.
આવેદનમાં વધુમાં ચેતવણી આપવામાં આવી છે કે જો તેમની રજૂઆતને યોગ્ય વિચારણા કરવામાં નહીં આવે તો બાવળા નગરપાલિકા કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવશે.
આ આવેદનપત્ર સાથે અનેક લારીચાલકો અને નાના વેપારીઓએ પોતાના હસ્તાક્ષર કરીને રજૂઆતને સમર્થન આપ્યું છે.