અંજુમન પીટીસી કોલેજ બાલાસિનોર મુકામે ગુરુવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું | Akhand Bharat Dainik
અંજુમન પીટીસી કોલેજ બાલાસિનોર મુકામે ગુરુવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
MAHISAGAR | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
અંજુમન પીટીસી કોલેજ બાલાસિનોર મુકામે ગુરુવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
અંજુમન પી.ટી.સી.કોલેજ ફોર બોઈઝ એન્ડ ગર્લ્સ, બાલાસિનોરના સંયુક્ત ઉપક્રમે તાલીમાર્થીઓ દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવનપર્વ નિમિત્તે "ગુરુવંદના"કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના અને દીપપ્રાગટ્યથી કરવામાં આવી હતી તાલીમાર્થીઓ દ્વારા વિવિધ ગુરુવંદના નાં ગીત,ભજન,ગુરુવાણી અને વક્તવ્ય રજૂ કરી ગુરુ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી આ પ્રસંગે તાલીમાર્થીઓ દ્વારા અધ્યાપકોને તિલક,પુષ્પગુચ્છ અને શુભેચ્છા કાર્ડ આપી સમ્માન કરવામાં આવ્યું હતુ પ્રસંગને અનુરૂપ બોઈઝ કોલેજના આચાર્યશ્રી વિજય પરમારે ગુરુ શિષ્યની પરંપરા અને જીવનમાં ગુરૂનું મહત્વ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા તેમજ ગર્લ્સ કોલેજના આચાર્યશ્રી મહેન્દ્રભાઈએ આશીર્વચનમાં તાલીમાર્થીઓને સારા શિક્ષક બનવા માટે જ્ઞાન શિસ્ત, સેવા અને સંસ્કારોનું મહત્વ સમજાવ્યું હતું આ પ્રસંગે અન્ય અધ્યાપકગણ શ્રી શૈલેષભાઈ મહેરા સાહેબ,પી.વી.પરમાર, કનુભાઈ પરમાર, શ્રી જતીનભાઈ, રાજશ્રીબેન, શર્મિષ્ઠાબેન કીશોરી અને ફજીલાબાનુ, મિતલબેન દવે વિશેષ ઉપસ્થિત રહી પોતાના વિચારો રજૂ કર્યા હતા અંતમાં તમામ તાલીમાર્થીઓએ ગુરુજનોના આદર્શોને જીવનમાં હંમેશા આચરણમાં અપનાવા સંકલ્પ કર્યો હતો કાર્યક્રમને સફળ અને સુંદર બનાવવામાં આયોજન સમિતિના સભ્યોએ ખુબ જહેમત ઉઠાવી હતી જેમાં તમામનો સહકાર મળ્યો તે બદલ સમિતિએ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો અંતે સમગ્ર કાર્યક્રમ શ્રધ્ધા, શિસ્ત અને સૌહાર્દ પુર્ણ વાતાવરણમાં સફળતાપુર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.